Back to photostream

MP Ahmed Patel demand memu train between Bharuch and Ankleshwar1

ગુજરાતના રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુની રૂબરૂ મુલાકાત લઈ દક્ષિણ ગુજરાતના રેલવે સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.અહેમદભાઈએ એવી રજૂઆત કરી હતી કે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ગોલ્ડન બ્રીજ અને સરદાર બ્રીજ ઉપર વખતો વખત થતા ટ્રાફીક જામને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાય જાય છે અને લોકો પારાવાર હેરાન થાય છે. ત્યારે રેલવે તંત્ર ટ્રાફીક જામને હળવો કરવા મદદરૂપ બને. તેમણે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે મેમુ ટ્રેન સેવા શરૂ કરવા રજૂઆત કરી છે. જો મેમુ ટ્રેન સેવા ચાલુ થાય તો ગોલ્ડન બ્રીજ પરનો ટ્રાફીક જામ કંઇક અંશે હળવો થઈ શકે તેમ છે.( હિ.સ)

www.vishvagujarat.com/mp-ahmed-patel-demand-memu-train-be...

 

132 views
0 faves
0 comments
Uploaded on July 7, 2015